Thursday, February 10, 2011

બસંત પંચમી – ધી અડવેન્ત ઓફ સ્પ્રિંગ : અંત માં આરંભ અને આરંભ માં અંત – પાર્થિવ ગોહિલ…



http://www.narendramodi.in/news_letter/images/2011/feb/mailer8feb2011/vasant_panchmi_poem.jpg





अंत में आरंभ है, आरंभ में है अंत,

हिय में पतझर के कूजता वसंत।

सोलह बरस की वय, कहीं कोयल की लय,
किस पर है उछल रहा पलाश का प्रणय ?

लगता हो रंक भले, भीतर श्रीमंत

हिय में पतझर के कूजता वसंत।

किसकी शादी है, आज यहाँ बन में ?
फूट रहे, दीप-दीप वृक्षों के तन में

देने को आशीष आते हैं संत,

हिय में पतझर के कूजता वसंत।

—-Shri Narendra Modi’s poems
English Ver


All that begins meets an end,
Every end onsets a new beginning,
From the heart of autumn
Rises the cooing of spring…

At sweet sixteen, melody of a cuckoo within
On whom showers romance, the flowers of spring?
Appearing poor, but rich within…
From the heart of autumn
Rises the cooing of spring…

Who’s getting wedded in woods?
Each tree is lit in festive moods!
Bestowed with divine blessing
From the heart of autumn
Rises the cooing of spring…

—-Shri Narendra Modi’s poems

Monday, January 31, 2011

નિરમા શેર માર્કેટમાંથી સંપુર્ણ રીતે દૂર થઈ જશે

ગુજરાતની કંપની નિરમા ટૂંક સમયમાં શેર બજારોથી સમગ્ર રીતે હટી જવાની તૈયારીમાં છે. આ કંપનીએ દિગ્ગજ મલ્ટિનેશનલ કંપનીઓને જબર્દસ્ત ટક્કર આપી હતી, અને ભારતમાં ખાસ્સી સસ્તી કિંમતોએ ડિટર્જન, સાબુ, વગેરે વેચીને બજારને સ્તબ્ધ કરી દીધુ હતુ.
માનવામાં આવે છે કે કંપની બુધવારે આ વિષયે ઔપચારિક જાહેરાત કરશે. કંપનીએ ભારતભરમાં વિસ્તરાયેલા શેર હોલ્ડરોને તેમના શેર કંપનીને પરત વેચવાની ઑફર આપી હતી. તેની અંતિમ તારિખ 20 જાન્યૂઆરીએ રાખવામાં આવી હતી.


 Taken From : Divya Bhaskar.

Thursday, January 20, 2011

ખાંડવી

ખાંડવી

૪ થી ૬ વ્યકિત માટે
લો પાવર લેવલ = ૦૦ - ૪૦ %
મઘ્યમ પાવર લેવલ = ૪૦ - ૯૦ %
માઇક્રો = ૧૦૦ %
સામગ્રી :
૧ કપ ચણાનો લોટ,
૩ કપ ખાટી છાસ,
મીઠુ સ્વાદ મુજબ,
૧ ચમચી લાલ મરચું,
૧ ચમચી ધાણાજીરુ,
અડધી ચમચી હળદર,
૨ થી ૩ લીલાં મરચા,
વઘાર માટે તેલ, રાઇ,
કોથમીર, સફેદ તલ.
રીત :
સૌ પ્રથમ તેલ લગાડેલાં એક બાઉલમાં ચણાનો લોટ, છાસ, મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર આ બધુ જ નાખીને એકસરખુ હલાવી ૧૫ મિનિટ માટે માઇક્રો કરો કરો. વરચે બે વખત હલાવો. હવે એક તેલ લગાડેલી ડીશમાં ગરમ ગરમ જ પાથરી દો. થોડીવાર ઠંડુ પડે પછી તેની લાંબી પટ્ટી કાપી ગોળ રોલ વાળો અને સમારી લો. હવે એક બાઉલમાં વઘાર માટે તેલ લઇ તેને ૩ મિનિટ માટે માઇક્રો કરી તેમાં રાઇ અને તલ નાખી તૈયાર થયેલી ખાંડવી પર છાંટી દો. ઉપર કોથમીર થી સજાવટ કરો.

ખમણ ઢોકળા

સામગ્રી :
500 ગ્રામ ચણાદાળ,
નારિયેળનું ખમણ,
આદું-મરચાં,
હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો.
રીત : રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો. તેલ ગરમ કરી રાઈ-હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા નાખી હલાવો. તૈયાર થયે સમારેલ કોથમીર-મરચાં અને કોપરાનાં છીણને ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.
ખમણની ચટણી બનાવવા માટે:
200ગ્રામ ખમણનો ભૂકો,
ખાંડ, રાઈ, કોથમીર, તેલ,
100 ગ્રામ અડદ-દાળ,
લીમડો, કોપરું અને દહીં તૈયાર કરો.
રીત:
સૌ પ્રથમ અડદની દાળને તેલમાં શેકીને વાટો. કોપરું અને કોથમીર ઝીણાં વાટી, તેમાં મીઠું નાખી ખમણનો ભૂકો ભેળવો. પછી આદું, મરચાં, મીઠું બધું વાટીને તેમાં નાખો. તેલમાં રાઈ, મીઠા-લીમડાનાં પાનનો વઘાર કરી તેમાં ભેળવો. આ રીતે તૈયાર થયેલી ચટણીનો ખમણ સાથે ઉપયોગ કરો.

અળવી નાં પાતરા

સામગ્રીઃ ૪૦૦ ગ્રા. અળવી પાન,
૪૦૦ગ્રા. ચણાનો લોટ,
૭૫ગ્રા. ઘઉંનો લોટ,
આદું, તલ, મીઠું,મરચું,
કોપરાનું છીણ,ધાણાજીરું,
તેલ,કોથમીર,આમલી,
હળદર,હિંગ,ગોળ.
બનાવવાની રીત(૫ વ્‍યકિત):
૧.ભૂરી દાંડીના પાનની નસો કાઢી, ધોઈ, કોરા કરો.
૨.ચણાના લોટમાં ઘઉંનો લોટ ભેળવી તેમાં ધાણા – જીરું, હળદર, મીઠું, મરચું, તલ ,ગોળ, આમલીનોરસ, આદું – મરચાંથી જાડું ખીરું બનાવો.
૩.પાટલા ઉપર લીસો ભાગ નીચે રહે તેમ પાન ગોઠવી, તેના ઉપર ખીરું લગાવો. પછી તેના ઉપર બીજું પાન ગોઠવી ખીરું લગાવો. તેના ઉપર ત્રીજું પાન ગોઠવી ખીરું લગાવો. આમ ચાર – પાંચ પડ કરી વીંટો વાળો. તેના ઉપર દોરી વીંટો. આમ ત્રણ – ચાર વીંટા કરો.
૪.આ વીંટાને વરાળથી બાફો, વીંટા બરાબર બફાયા પછી કાઢી લો. ઠંડા પડે, નાનાં – નાનાં પતીકાં કરો. તેને તેલમાં તળો કે વઘારો.
૫.તૈયાર થયે ચટણી કે સોસ સાથે ઉપયોગ કરો.
પોષકતાઃ ૨૫૦૦ કેલરીની આ વાનગી છે. વ્‍યકિત દીઠ ૫૦૦ કેલરી મળે છે. લીલોતરી શાકપાનમાં સેલ્‍યુલોઝ વધુ હોય છે. તેનો અવશેષ આંતરડામાં ભારની ગરજ સારતો હોઈ આંતરડાનું હલન – ચલન ઉશ્‍કરે છે; પરિણામે જાળ ધકેલાઈ દસ્‍ત સાફ આવે છે.

..બનાવો મસ્ત મજાના માલપુઆ

સામગ્રી :
દૂધ : ૪ કપ,
સાકર : ૬ ચમચા,
ઘી : ૧ કપ,
પાણી : ૨ કપ,
ક્: ૬ ચમચા.
રીત :
પ્રથમ દૂધનો ઊભરો આવી જાય પછી ધીમા તાપે દૂધ અરધાથી પણ વધારે બળી જાય ત્‍યાં સુધી ઉકાળો. દૂધને એકસરખું હલાવતાં જવું, જેથી દૂધ જાડું અને ગઠ્ઠારહિત થાય. સાકર અને પાણી બંને ભેગાં કરી ઉકાળી તેની ચાસણી બનાવો. તેને નાની થાળીમાં લો. ઠંડા થયેલા દૂધમાં�ઘંઉનો લોટ મિક્સ કરો જેથી દૂધ વધારે જાડું થશે. બરાબર હલાવી એકસરખું ખીરું તૈયાર કરો. હવે કડાઈમાં ઘી લઈ ગરમ કરો. જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારે એક ચમચો ભરી ખીરું ધીમાં નાખો. તે નાની પૂરી જેવો દેખાશે. તેને ધીમા તાપે તળાવા દો. પછી તેની બીજી બાજુ ફેરવીને તળવી. જ્યારે સોનેરી રંગ જેવા થાય ત્યારે તે લઈ લેવા અને ચાસણીમાં મૂકવા, જેથી બરાબર ચાસણી ચૂસી લે પછી કાઢીને બીજા વાસણમાં મૂકવા. આવી રીતે ખીરાના માલપુઆ બનાવવા.

ક્ચ્છના લાખા ફૂલાણીએ એક હજાર વર્ષ પહેલાં બંધાવેલું - શ્રી કેરાનું શિવમંદિર

ક્ચ્છનો મધ્યકાલીન ઈતિહાસ બહુ સ્પષ્ટ નથી,પરંતુ જે કંઈ સાહિત્ય આપણી પાસે પ્રાપ્ત છે તે દ્વાર આ પ્રદેશના ઈતિહાસની મહત્ત્વની કડીઓ મળી રહે છે.
કેટલાક દસ્તાવેજો,તામ્રપત્રો,અભિલેખો,શિલાલેખો તથા સાહિત્યિક સંદર્ભ એવો નિર્દેશ કરે છે કે શકિતશાળી સોલંકી રાજાઓએ અહીં પણ રાજ કરેલું.
કચ્છના મધ્ય ભાગમાં લાખો ફૂલાણી નામનો શકિતશાળી રાજા રહેતો,જેની રાજધાની કપિલકોટ હતી. મૂળરાજ સોલંકી (ઈ.સ.942 થી 997) નો તે સમકાલીન રાજા હતો.
દંતકથા પ્રમાણે લાખા ફૂલાણીને સ્થાપત્યનો ખૂબ જ શોખ હતો. તેણે રાજધાની ફરતો કિલ્લો તથા શિવમંદિર બંધાવ્યાં હતાં. તે ધર્મનો આશ્રયદાતા હતો.
ભુજથી દક્ષિણે લગભગ બાર માઈલ ઉપર આવેલું કેરા ગામ ફુલાણીનું પાટનગર હતું. તેનું મૂળ નામ કાપયલેટ અથવો કોરાકોડ હતું.પ્રાચીન જાહોજલાલીના અવશેષ સ્વરૂપ એક શિવમંદિર અને કોટનો થોડો ભાગ આજે ફમ ભગ્ન હાલતમાં ઊભો છે.આ ભગ્નાવશેષોના સ્થાપત્ય અને કોતરકામ તેની પૂર્વ જાહોજલાલીની ઝાંખી ધરાવે છે.
આ શિવમંદિર કેરાની ઉત્તરે અને નાગમતી નદીના કિનારે આવેલું છે. મંદિર પૂર્વાભિમુખ છે. ભવ્ય ભૂતકાળનું આ સીમાચિહ્ન છે. મંદિર 21 મીટર લાંબું અને 10 મીટર પહોળું છે.મા મંદિરમાં પ્રદક્ષિણાનો રસ્તો પણ રાખેલો છે.શૈલીની દ્દષ્ટિએ મંદિર મહાગુર્જર શૈલીનું છે.આ મંદિર ઊંચી જગતી ઉપર ઊભું છે.રત્ન,વેદી તથા કીર્તિ મુખની મૂર્તિઓથી જગતી ઉપર સુશોભન કરેલું છે.પાયાથી સિખર સુધી એકદમ સરખા શિલ્પ અને સ્તંભો છે.અહીં મંદિરનું ક્ષેત્રફળ અને શિલ્પો બરાબરની સંખ્યામાં છે. શિખર પણ કલાત્મક છે. મંદિર ઉપર અને અંદરનો શિલ્પો ખદુરાહોનાં શિલ્પોની સાથે એ જ કક્ષાએ ઊભાં રહી શકે તેમ છે. એટલેજ સહેલાણીઓ આ સ્થળે અચૂક જાય છે.
કેરા અમદાવાદથી 421 કિ.મી. દૂર અને ભુજથી 19 કિ.મી. દૂર છે. ગાંધીઘામથી તે 58 કિ.મી. દૂર છે.
હાલનો કેરાકોટનો પ્રદેશ ઘણો સમૃદ્ધ છે. કોસ હાંકતા ખેડૂતો લાખા ફૂલાણીના દુહા ગાતા હોય છે. પુરાણા કોટની દીવાલ વટાવી લાખેશ્વર મંદિરના ભગ્ન શિવાલય તરફ જવાય છે. મંદિરનો ગૂઢ મંડપ મહદ અંશે નાશ પામ્યો છે.ગર્ભગૃહની દ્વારશાખ દેખાતી નથી. મંદિરનો શિખર ભાગ એક બાજુથી ઊભો છે,જયારે બીજી બીજુથી નાશ પામ્યો છે.એવું કહેવાય છે કે ક્ચ્છમાં થયેલા ઘરતીકંપને કારણે મંદિરનો શિખરભાગ નાશ પામ્યો છે.પ્રદક્ષિણા પંથમાં અંધારું ન પડે તે માટે મૂકવામાં આવેલા જાળીવાળા ગવાક્ષો આ મંદિરનાં સર્વોત્તમ અંગો છે, તો ચંદ્રશલાકા પ્રકારની કોતરણીવાળી સુંદર જાળીઓનું કોતરકામ સંવતના આઠમા સૈકાથી કચ્છમાં શરૂ થયું હતું.ગુજરાતમાં સૌ પ્રથમ સોરઠમાં આવેલ કદવાડના મંદિરમાં જાળીઓ મૂકવાનું શરૂ થયું હશે. મૈત્રક કાળમાં બંધાયેલા મંદિરોમાં મુકાયેલી જાળીઓમાં ગુપ્તકાલીન અસર દેખાય છે. કેરાકોટના લાખેશ્વર મંદિરની જાળીઓની નીચે કોઈ મંદિરના રંગમંડપની વેદિકા જેવો ભાગ કોરી કાઢેલો જણાય છે. મંદિરના પીઠ ભાગ ઉપરના કુંભ અને કળશના થરો મોટા અને ભારે છે. તેના ઉપરથી કેવાલનો ભાગ ચૈત્ય કમાનના સુશોભનથી શોભી રહ્યો છે. મંડોવરની જંઘા ઉપર કોતરાયેલ દેવદેવીઓની મૂર્તિઓ અને તેના ઉપર કોતરાયેલ ગ્રાસથરની પટ્ટી આંખને ગમી જાય તેવી છે.આ પટ્ટિકા ઉપર કોતરાયેલ રતિચિત્રમાં શિલ્પો ઘસાઈ ગયેલા હોવા છતાં આકર્ષક લાગે છે.શિખર ભાગ ઉપરના આઠ શૃંગો અને નવમું મુખ્ય શૃંગ જોતાં આ મંદિર સર્વતોભદ્ર પ્રાસ્દ શ્રેણીનું હોવું જોઈએ. આખુંય મંદિર જોતાં એવું લાગે કે કચ્છે નાગરશ્રેણીનાં સુંદર મંદિરનો બાંધવાની શરૂઆત સંવતના આઠમા સૈકાના અંતકાળથી શરૂ કરી હશે.
કેરાકોટના કિલ્લાનો ભાગ ઘણો પડી જવા પામ્યો છે, છતાં ચાર ખૂણે ચાર ઊંચા કોઠા અને આશરે 40 ફીટ જેટલી ઊંચાઈ ધરાવતો આ કિલ્લો 1000 વર્ષ પહેલાંના બાંધકામની ઉત્તમતા પુરવાર કરે છે.
અત્યારે તો અહીં મહેનતું કણબી અને ખોજા કુટુંબો રહે છે. તેમણે જૂના કિલ્લાના ખરેલા પથ્થરોનો ઉપયોગ પોતાના મકાનોમાં કર્યો છે. જૂના વખતમાં લાખા ફૂલાણી પછી કેરા પડયું ગુલમાલીશાહના હાથમાં.પીર સદ્રુદીન એમના વંશજ થાય.આગાખાન વંશના પીર ગુલામઅલીશા કડીવાલ આ ગામે થયા. તેમની અસર નીચે ધણાં લોહાણા,ભાટિયા,કણબી વગેરે કુટુંબોએ ઈસ્માઈલી ખોજા પંથ સ્વીકાર્યો હતો. પીરે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢયા. લોકોએ તેમને ત્યાં વસવાટ કરવા વિનંતી કરી. તેમણે કેરામાં રહી પંચતનના પવિત્ર નામે કૂબો ચણાવ્યો.કરાંચીમાં 1796માં તેઓ જન્નતશીન થયા.ત્યાંથી તેમના નશ્વર દેહને કેરા લાવી દબદબાપૂર્વક દફનાવવમાં આવ્યો. એની ઉપર મુરીદ ખોજાઓએ તેમનો મકબરો ચણાવ્યો.
કેરાની ધાર વચ્ચે દૂરદૂરથી નજરે પડતી ગુલમાલીશાની સફેદ અને ઊંચી દરગાહ કેરાના સીમાસ્તંભ ઉપર બની રહી છે. આજે પણ કેરાનું ભગ્નાવેશષ શિવમંદિર જોવાલાયક છે.